પાકિસ્તાની ક્રિકેટર શાહીદ આફ્રિદીએ સુર્યા કુમાર યાદવ વિશે એવું કીધુ કે જાણી ને તમે પણ ચોંકી જશો…
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઈને મોટું નિવેદન આપ્યું છે. શાહિદ આફ્રિદીએ સૂર્યકુમાર યાદવની કિલર બેટિંગના વખાણ કરતાં પોતાના જ દેશના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની ટીકા કરી હતી. મોહમ્મદ રિઝવાન અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં એકબીજાને પાછળ છોડવા માટે ઘણી વાર સ્પર્ધા જોવા મળે છે.
શાહિદ આફ્રિદીએ મોહમ્મદ રિઝવાન પર આકરા પ્રહારો કર્યા અને તેને સૂર્યકુમાર યાદવની બેટિંગમાંથી શીખવાનું કહ્યું. પાકિસ્તાનની ટીવી ચેનલ સામ પર વાતચીત દરમિયાન શાહિદ આફ્રિદીએ સૂર્યકુમાર યાદવની બેટિંગના જોરદાર વખાણ કર્યા છે. શાહિદ આફ્રિદીનું કહેવું છે કે મોહમ્મદ રિઝવાને સૂર્યકુમાર યાદવ જે પ્રકારના શોટ્સ રમે છે તેમાંથી શીખવું જોઈએ.
શાહિદ આફ્રિદીએ કહ્યું, ‘સૂર્યકુમાર યાદવે 200 થી 250 ડોમેસ્ટિક મેચ રમવાના અનુભવ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. એટલા માટે સૂર્યકુમાર યાદવ તેની રમત સારી રીતે જાણે છે. સૂર્યકુમાર યાદવ જે પણ શોટ રમે છે તે દરમિયાન તે બોલને ખૂબ જ સારી રીતે ફટકારે છે. સૂર્યકુમાર યાદવ પણ તેના દરેક શોટની ખૂબ સારી પ્રેક્ટિસ કરે છે. એટલા માટે તમારે તમારા શોટ્સ વિકસાવવાની જરૂર છે, કારણ કે ટી20 ફોર્મેટની આ માંગ છે.
તમને જણાવી દઈએ કે આ T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી પાંચ મેચમાં 225 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ 2022માં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. સૂર્યકુમાર યાદવની કિલર બેટિંગના કારણે ભારતીય ટીમ આ વખતે T20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયા માટે 4 નંબર પર ઉતરતાની સાથે જ સૂર્યકુમાર યાદવે પોતાની બેટિંગથી તોફાન મચાવવાનું શરૂ કરી દીધું.