Sports

ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર! આ દિગ્ગજ ખેલાડી ને ઈજા થતા સેમી ફાઈનલ મેચ ના રમે તેવી શક્યતા..

ભારતીય ક્રિકેટ ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને હવે તેને 10 નવેમ્બરે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. આ મેચ માટે ભારતીય ટીમ એડિલેડ પહોંચી ગઈ છે, પરંતુ ઈંગ્લેન્ડ સામેની આ મેચ પહેલા એટલે કે મંગળવારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

સેમિફાઇનલ પહેલા પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા થ્રોડાઉન પર પ્રેક્ટિસ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો અને તે પછી તે આઈસ પેક લઈને બેઠો જોવા મળ્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે તેનો જમણો હાથ ઈજાગ્રસ્ત છે અને તે આઈસ પેક લઈને બેઠો છે. રોહિત શર્માના ચહેરાને જોઈને લાગે છે કે તે ઘણી મુશ્કેલીમાં છે.જો કે, રોહિત શર્માની ઈજા કેટલી ગંભીર છે અને તે આગામી મેચમાં રમશે કે નહીં તે અંગે કંઈ જાણવા મળ્યું નથી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!