Sports

આર અશ્વિને હાર્દિક પંડ્યા વિશે આપ્યું ચોંકાવનારુ નિવેદન ! કીધુ કે હાર્દિક ધોની જેમ…

ન્યૂઝીલેન્ડ સામેની T20I શ્રેણી સમાપ્ત થયા બાદ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવા બદલ હાર્દિકની ટીકા થઈ હતી. જેનો હાર્દિકે પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપ્યો હતો. તેના જવાબ પર આર અશ્વિને પોતાની પ્રતિક્રિયા આપી છે. અશ્વિનને લાગે છે કે હાર્દિકમાં ધોનીની જેમ વિચારવાની ક્ષમતા છે.

T20 વર્લ્ડ કપ પૂરો થયા બાદ ભારતીય ટીમમાં નેતૃત્વ પરિવર્તન આવ્યું છે. સિનિયર ખેલાડીઓને આરામ આપીને હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિકની કપ્તાનીમાં ટીમે ન્યૂઝીલેન્ડમાં 1-0થી શ્રેણી જીતી હતી. પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થયા બાદ બીજી મેચમાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ ન કરવા બદલ ટીકા થઈ હતી. જ્યારે સંજુ સેમસનને ત્રીજી T20I મેચમાં સ્થાન ન મળ્યું, ત્યારે ક્રિકેટ ચાહકોએ હાર્દિકની ટીકા કરવાનું શરૂ કર્યું. આના પર હાર્દિકે જવાબ આપ્યો, “તે જાણે છે કે તે વ્યક્તિગત નથી. તે સ્થિતિ સાથે સંબંધિત છે. દરેક વ્યક્તિ જાણે છે કે જો તેમને કંઈપણ લાગે તો તેઓ મને કહી શકે છે, મારી સાથે વાત કરી શકે છે. કારણ કે હું સમજું છું કે તેઓ કેવું અનુભવે છે.”

આર અશ્વિને પ્રતિક્રિયા આપી : આર અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર આ અંગે પ્રતિક્રિયા આપી હતી. અશ્વિને કહ્યું, “મને ખબર નથી કે તે થાલા ધોનીની શૈલીમાં કહેવા માંગતો હતો કે કેમ, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે હાર્દિક થાલા ધોનીની ખૂબ નજીક છે. તેણે એક મુશ્કેલ પ્રશ્નને સુંદર રીતે હેન્ડલ કર્યો જે સોશિયલ મીડિયા પર હંમેશા ટ્રેન્ડ રહેતો હતો. તેથી, હાર્દિકને અભિનંદન.”

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!