ગૌતમ ગંભીર સાથેની લડાઈ બાદ કોહલીએ લખ્યો BCCI ને લેટર! લેટરમાં લખી એવી એવી વાતો કે સૌ કોઈ ચોકી ગયું… જાણો
વિરાટ કોહલીને ભારતીય ટીમના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક માનવામાં આવે છે, જો કે તે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકતો નથી અને આ કારણે ઘણી વખત કોહલીને ઘણું સહન કરવું પડે છે. અને 1 મેના રોજ, બરાબર એ જ બન્યું. 1 મેના રોજ, લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ હતી અને તે દરમિયાન કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને ભારતના ભૂતપૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર સાથે વિવાદ પણ થયો હતો.
જો કે, તે વિવાદ પછી, BCCIએ મોટી કાર્યવાહી કરી અને ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની 100 ટકા ફી અને નવીન-ઉલ-હકની 50 ટકા ફી કાપી લીધી, હવે કોહલીએ તે દિવસના વિવાદથી સંબંધિત BCCIને પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે લડાઈ બાદ BCCIએ કોહલીની 100 ટકા મેચ ફી કાપી લીધી છે. આવી સ્થિતિમાં કોહલીને 1 કરોડ 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, જે બાદ કોહલીએ આ મામલે BCCIને પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે કોહલીએ બીસીસીઆઈને પોતાના પત્રમાં કહ્યું છે કે તે દિવસે નવીન ઉલ હક અને ગૌતમ ગંભીર સાથેના વિવાદ દરમિયાન તેણે બંનેને કંઈ ખોટું કહ્યું નથી.
આવી સ્થિતિમાં બીસીસીઆઈએ તેની સંપૂર્ણ મેચ ફી કાપવી જોઈએ નહીં. આ સાથે કિંગ કોહલીએ પોતાના પત્રમાં નવીન-ઉલ-હક વિશે પણ ફરિયાદ કરી છે. કોહલીનો ગંભીર સાથે અગાઉ પણ વિવાદ થઈ ચૂક્યો છે. ગૌતમ ગંભીર સાથેની લડાઈ બાદ વિરાટ કોહલીએ બીસીસીઆઈને લખ્યો પત્ર. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે લાઈવ મેચ દરમિયાન કોહલીનો કોઈ ખેલાડી સાથે વિવાદ થયો હોય, પરંતુ આ પહેલા પણ ઘણા ખેલાડીઓ સાથે કોહલીનો વિવાદ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત વર્ષ 2013માં જ્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો ત્યારે એક મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે વિવાદ થયો હતો અને હવે 10 વર્ષ બાદ ફરી તેમની વચ્ચે વિવાદ થયો છે.