આ ગામમા છેલ્લા 50 વર્ષથી કોઈપણ યુવાનને લગ્ન નથી કર્યા! કુંવારાનું ગામ તરીકે ઓળખાય છે કારણ કે….

લગ્ન એ વ્યક્તિનાં જીવનનો સૌથી મહત્વનો પ્રસંગ છે, ટૂંકમાં કહીએ તો જીવનનો સથવારો એટલે લગ્ન. યુવાની અવસ્થામાં આવ્યા બાદ દરેક યુવાનની લગ્ન કરવાની ઈચ્છા થતી જ હોય છે. આજના સમયમાં તો ઘડપણમાં પણ લગ્ન કરવા આતુર બને છે, ત્યારે આજે અમે આપને એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં છેલ્લા 50 વર્ષથી એક પણ યુવાનના લગ્ન નથી થયા અને આ આંખું ગામ કુંવારું છે એમ કહીએ તો પણ ખોટું નથી. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.

આ ઘટના છે બિહારની રાજધાની પટનાના બરવા કલા ગામની. આ ગામમાં કોઈપણ વ્યક્તિ પોતાની દીકરી નથી આપતું અને તેની પાછળનું કારણ ખૂબ જ ચોંકાવનારૂ અને ચિંતાજનક છે.
ગામમાં લોકોનું કહેવું છે કે આર્થિક અને વિકાસની દ્રષ્ટિએ ગામ ખૂબ જ પાછળ રહી ગયું છે અને કોઈપણ સુખ સુવિધાઓ પણ ગામમાં નથી જેથી કોઈપણ વ્યક્તિ પોતાની દીકરીના લગ્ન આ ગામમાં નથી કરતા.

આ ગામમાં પ્રાથમિક જુરીયાત જેમકે, રસ્તાઓ, આરોગ્ય અને શિક્ષણની અછત છે. આ કારણે લગ્ન કરવાની ઈચ્છા હોવા છતા યુવાનો કુંવારા રહે છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણી મહેનતથી વર્ષ 2017માં એક છોકરાના લગ્ન થયા હતા. જેના માટે સમગ્ર ગામના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગ્રામજનોએ પહાડો અને જંગલ કાપીને 6 કિમીનો રસ્તો બનાવ્યો હતો. વર્ષો પછી જ્યારે અજય કુમારના લગ્ન થયા તો ગામલોકોએ તેમનું ધામધૂમથી સ્વાગત કર્યું.

ગ્રામજનોની વર્ષોની મહેનત પછી જ્યારે ગામમાં લગ્ન થયા ત્યારે આખા ગામમાં ઉજવણી કરવામાં આવી હતી. 2017 પછી તે ગામમાં આજ સુધી કોઈ લગ્ન થયા નથી. આના અન્ય કેટલાક કારણો પણ સ્થાનિક લોકો જણાવે છે, જેમ કે ગામમાં લગ્ન કરવા માટે ગામથી દૂર ગેસ્ટ હાઉસ બુક કરાવવું પડે છે અને લગ્નની વિધિ કરવી પડે છે. કારણ કે ગામમાં કોઈ રસ્તો નથી.

કૈમુર પર્વત પાસેના બરવા કાલા ગામમાં, 121 પંચાયતો હજુ પણ સ્નાતક છે. લોકો કહે છે કે આ ગામમાં 50 વર્ષમાં કોઈ છોકરાના લગ્ન નથી થયા. 2017માં અજય યાદવ નામના યુવકના લગ્ન થયા હતા. તેથી જ આ ગામને ‘કુવારા ગામ’ નામ પણ આપવામાં આવી રહ્યું છે. આ ગામના લોકોની આર્થિક સ્થિતિ પણ સારી નથી, જેના કારણે અન્ય ગામના લોકો પણ પોતાની દીકરીના લગ્ન બરવા કાળા ગામમાં નથી કરાવતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે રાજ્ય સરકારના કારણે આ ગામની આટલી ખરાબ હાલત છે.

આ રાજ્ય સરકારની નિષ્ફળતા સાબિત કરે છે કારણ કે રાજ્યની જનતાને મૂળભૂત અધિકારો રાજ્ય સરકારે જ આપવાના છે. સરકારે પોતાની જવાબદારી સમજીને યોગ્ય દિશામાં પગલાં ભરવા જોઈએ અને ગામની સ્થિતિ સુધારવા જોઈએ. સરકાર આ ગામના વિકાસ તરફ ધ્યાન આપી રહી નથી. છેલ્લા ઘણા સમયથી અહીં વીજળી, પાણી અને રસ્તાની હાલત ખરાબ છે. ગામથી 45 કિમી દૂર પોલીસ સ્ટેશન છે. ગામના 12 હેન્ડપંપ સુકાઈ ગયા છે. પીવાનું પાણી ગામથી લગભગ 2 કિમી દૂરથી લાવવું પડે છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here