જો ભારત ઝિમ્બાબ્વે વચ્ચે ની મેચ વરસાદ ના કારણે રદ થાઈ તો ટીમ ઈન્ડિયા સેમી ફાઈનલ મા પહોંચી શકે કે નહી ?? આ રહ્યો જવાબ
ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઝિમ્બાબ્વેને બાકી રહેલી એકમાત્ર મેચમાં હરાવવી પડશે. ભારતે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની આશા વધારી દીધી છે. જો ભારત ઝિમ્બાબ્વે સામે જીતે છે, તો તે ગ્રુપ 2માં ટોચ પર રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. વરસાદના કારણે મેચ રદ્દ થાય તો?
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ઘણી ટીમો માટે વરસાદ સૌથી મોટો વિલન સાબિત થયો છે. જો કે ગ્રૂપ 2 ની ટીમોને વરસાદને કારણે બહુ મુશ્કેલી પડી ન હતી, પરંતુ ગ્રુપ 1માં ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની મેચો રદ્દ થઈ હતી. જેના કારણે સેમિ-ફાઇનલ ક્વોલિફિકેશનમાં અનેક મોટા અપસેટ સર્જાયા હતા. રવિવારે, 6 નવેમ્બરે, ભારત સેમિફાઇનલમાં પોતાની સીટ સુરક્ષિત કરવા ઝિમ્બાબ્વે સામે ટકરાશે. જ્યાં ગ્રુપ-2 ના પોઈન્ટ ટેબલ પર
ટી20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ગ્રુપ-2માં ભારત અત્યારે 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 5 પોઈન્ટ સાથે બીજા અને પાકિસ્તાન 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો ભારતની ઝિમ્બાબ્વે સામેની મેચ 5-5 ઓવરની હોય કે નહીં, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં ભારત 7 પોઈન્ટ સાથે ટોપ પર રહેશે. જો દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડને હરાવશે તો તે વધુ સારા નેટ રન રેટ સાથે ટોચ પર પહોંચી જશે.
ભારત હારી જાય તો?જો ભારત ઝિમ્બાબ્વે સામે હારી જશે તો સારા નેટ રન રેટને કારણે દક્ષિણ આફ્રિકા ટોચ પર આવશે. જો દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડને હરાવશે તો તે ટોચ પર રહીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સાથે જ જો પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવશે તો આ સ્થિતિમાં પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામે હારી જાય તો જ ભારત સેમીફાઈનલમાં પહોંચી શકે છે, પરંતુ ભારત ઝિમ્બાબ્વે સામે જીત મેળવીને ટોચ પર રહેવા ઈચ્છશે.