Sports

એક બે નહી ત્રણ વખત ટક્કર થશે ભારત અને પાકિસ્તાન ની ?? જાણો ક્યા અને ક્યારે મેચ રમાશે ??

એશિયા કપને લઈને ચાલી રહેલી તકરાર હવે ઉકેલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અહેવાલો અનુસાર, સપ્ટેમ્બરમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ ફક્ત પાકિસ્તાનમાં જ રમાશે અને ભારતીય ટીમ તેમની સામે UAE, ઓમાન અથવા શ્રીલંકામાં રમી શકે છે. મતલબ, એશિયા કપની અડધી મેચોનું આયોજન પાકિસ્તાન કરશે, જ્યારે બાકીની મેચો તટસ્થ સ્થળોએ રમાશે. એવું પણ માનવામાં આવે છે કે એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની ટીમો 3 વખત આમને-સામને આવી શકે છે.

એશિયા કપ 2023 સપ્ટેમ્બરમાં યોજાવાની છે અને ટૂર્નામેન્ટ 13 દિવસ ચાલશે. ફાઈનલ સહિત કુલ 6 ટીમો 13 મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની ટીમ એક જ ગ્રુપમાં છે જ્યારે ત્રીજી ટીમ ક્વોલિફાય થયા બાદ પહોંચશે. બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ છે. પ્રારંભિક રાઉન્ડમાં ટીમ ઈન્ડિયા બે મેચ રમશે અને 1 મેચ જીતીને સુપર-4માં પહોંચી શકે છે. ટીમ ઈન્ડિયાને સુપર-3માં 3 મેચ રમવાની છે. જો ભારત ફાઇનલમાં પહોંચે છે તો કુલ 6 મેચ રમાશે અને આવી સ્થિતિમાં ફાઇનલ મેચને પણ તટસ્થ સ્થળ પર શિફ્ટ કરી શકાય છે.

ટૂર્નામેન્ટનું ગણિત એવું છે કે પ્રારંભિક રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ગ્રૂપ-4માં પહોંચ્યા બાદ આ ટીમો ફરી સામસામે આવી શકે છે. જો બંને ટીમો ફાઇનલમાં પહોંચે છે તો બંને વચ્ચે ત્રીજી વખત મુકાબલો થઈ શકે છે. ભારત અને પાકિસ્તાનના ચાહકો પણ ઇચ્છે છે કે એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાય.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!