Sports

કોલકત્તા નાઇટ રાઇડર્સ નો આ મેચ વિનર હવે ટીમ મા નહી દેખાય ! જાણો શુ કારણ છે.

રણજી ટ્રોફીના ત્રીજા રાઉન્ડની મેચો મંગળવારથી રમાશે. દિલ્હીનો સામનો તામિલનાડુની મજબૂત ટીમ સાથે થશે. રણજી ટ્રોફી (2022-23)ના ત્રીજા રાઉન્ડની મેચો મંગળવાર (27 ડિસેમ્બર)થી શરૂ થઈ રહી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીનો મુકાબલો તમિલનાડુ સાથે થશે જેમાં વોશિંગ્ટન સુંદર, સાઈ સુદર્શન અને એન જગદીશન છે. દિલ્હીને તેમની મેચમાં હાર મળી હતી, જ્યારે બીજી મેચ ડ્રો રહી હતી.

મેચ પહેલા દિલ્હીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે અને કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર બેટ્સમેન નીતિશ રાણાને ટીમમાંથી બહાર કરી દીધો છે. નીતિશે ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 મેચ પણ રમી છે. KKRનો મિડલ ઓર્ડર બેટ્સમેન નીતિશ રાણા IPLની છેલ્લી ઘણી સીઝનમાં રમી ચૂક્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ, દિલ્હી ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે રાણાનું ધ્યાન ફક્ત આઈપીએલ રમવા પર છે કારણ કે તેને ત્યાંથી કરોડો રૂપિયા મળે છે.

દિલ્હી માટે રમવું તેની પ્રાથમિકતા નથી, તેથી તે સ્થાનિક મેચો પર પણ ધ્યાન આપતો નથી. નીતિશે આ સિઝનની પ્રથમ મેચમાં મહારાષ્ટ્ર વિરૂદ્ધ 14 અને 40 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં દિલ્હીનો 9 વિકેટે પરાજય થયો હતો. આસામ સામેની ડ્રો મેચમાં નીતિશ પ્રથમ દાવમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. તેને બીજી ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી ન હતી.

 

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!