પાકિસ્તાન મા જન્મેલા આ ભારતીય ઉદ્યોગપતિ એ માત્ર 25 રુપીઆ માથી 7000 કરોડ ની કંપની ઉભી કરી ! સંઘર્ષ જાણી સલામ કરશો

આપણે જાણીએ છે કે, જીવનમાં ક્યારેય પણ આત્મવિશ્વાસ ન ગુમાવવો જોઈએ કારણ કે જો વ્યક્તિ ધારે તો કંઈપણ કરી શકે છે. ધ ઓબેરોય ગ્રુપના સંસ્થાપક અને અધ્યક્ષ રાય બહાદુર મોહન સિંહ ઓબેરોયના જીવન વિશે જાણીશું.પાકિસ્તાન મા જન્મેલા અને માત્ર 25 રુપીઆ માથી 7000 કરોડ ની કંપની ઉભી કરી ! આજે પણ ‘ઓબેરોય ગ્રૂપ’નું નામ મોટા અમીર ગૃહોમાં ગણાય છે.

ઓબેરોય ગ્રુપની શરૂઆત મોહન સિંહ ઓબેરોય દ્વારા કરવામાં આવી હતી. તેમનો જન્મ હાલના પાકિસ્તાનના જેલમ જિલ્લાના ભાણઈ ગામમાં શીખ પરિવારમાં થયેલ. મોહનસિંહ છ મહિનાનો હતા ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. તેથી, તેના ઉછેર અને પરિવારની તમામ જવાબદારી તેની માતાના ખભા પર આવી ગઈ હતી. ભાણઈ ગામની શાળામાંથી પ્રારંભિક શિક્ષણ પૂરું કર્યું અને સરકારી કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો. રોજગારની શોધમાં તે ઘણી જગ્યાએ ગયો, પરંતુ કોઈ પણ જગ્યાએ કામ યોગ્ય રીતે થયું નહીં. આ નિરાશાએ તેને વિચાર્યું કે “શિક્ષણ મેળવ્યા પછી પણ રોજગાર માટે લાયક નથી.”

મિત્રની સલાહ પર, તેઓ અમૃતસર ગયા, જે વર્તમાન ભારતમાં છે, ત્યાં ટાઇપિંગનો કોર્સ કરવા માટે. પરંતુ તે કોર્સની શરૂઆત દરમિયાન જ તેને સમજાયું કે આ ક્ષેત્રમાં પણ વધુ સંભાવનાઓ નથી.

ગામમાં પાછા ફર્યાના થોડા સમય પછી, તેના કાકાએ તેને જૂતાની ફેક્ટરીમાં કામ કરવાની ઓફર કરી. ચંપલ બનાવવા અને વેચવાનું કામ કરવા માટે એક જગ્યા ખાલી હતી. મોહન સિંહની કમનસીબી, આ ફેક્ટરી પણ થોડા સમય પછી બંધ થઈ ગઈ. તેથી મોહન સિંહને ફરીથી નિરાશા સાથે ખાલી હાથે ઘરે પરત ફરવું પડ્યું.

લગ્ન બાદ મોહન સિંહ ઓબેરોયનો મોટાભાગનો સમય સાસરીમાં પસાર થતો હતો અને તેમની માતાએ કહ્યું કે તારે સાસરિયાંમાં રહીને કોઈ ધંધો કરવો જોઈએ. એક દિવસ તેમના સાસરિયાંના ઘરે તેમણે અખબારમાં છપાયેલી સરકારી નોકરીની જાહેરાત જોઈ. આ જાહેરાત કારકુનની જગ્યા માટે હતી જેના માટે મોહન સિંહ ઓબેરોય લાયક હતા અને શિમલા ગયા. આ દરમિયાન માતાએ આપેલા પચીસ રૂપિયા તેના કામમાં આવ્યા.

મોહન સિંહ ઓબેરોય તેમના જીવનમાં પહેલીવાર શિમલા જેવા શહેરમાં ગયા હતા. એક દિવસ શિમલામાં ફરતા હતા ત્યારે તેમની નજર હોટેલ સિસિલ પર પડી. તે સમય દરમિયાન આ હોટેલ ભારતની પ્રખ્યાત હોટલોમાંની એક હતી.મોહન સિંહ ઓબેરોયની મહેનત રંગ લાવી અને તેમને 40 રૂપિયા મહિનાના પગારે હોટલમાં ક્લાર્કની નોકરી મળી. થોડા મહિનાઓ પછી હોટેલના મેનેજમેન્ટમાં બદલાવ આવ્યો અને તેમને સ્ટેનોગ્રાફીની સાથે કેશિયરની નોકરી પણ આપવામાં આવી.

અંગ્રેજ શાસકોના હૃદયમાં એક અલગ જ સ્થાન બનાવ્યું હતું. તે દરમિયાન આખી હોટલમાં તેની એક અલગ ઓળખ બની ગઈ હતી. સમય આમ જ પસાર થયો અને એક દિવસ હોટલના મેનેજર ક્લાર્કે મોહન સિંહ ઓબેરોયને એક નવી ઓફર કરી. તે ઈચ્છતો હતો કે મોહન સિંહ ઓબેરોય 25,000 રૂપિયામાં સિસિલ હોટેલ ખરીદીલે. ઓબેરોયે તેની પૈતૃક સંપત્તિ અને પત્નીના દાગીના 25,000 રૂપિયામાં ગીરો મૂક્યા હતા. ઓબેરોયે આ રકમ પાંચ વર્ષમાં પૂરી કરી અને હોટેલ મેનેજરને આપી. જે બાદ 14 ઓગસ્ટ 1934ના રોજ મોહન સિંહ હોટેલ સિસિલના માલિક બન્યા.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here