ભારત ને વર્લ્ડ કપ જીતાડનાર આ ભુતપૂર્વ ખેલાડી ની IPL મા થશે ધમાકેદાર એન્ટ્રી !જાણો કોણ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી સિઝન માટે તમામ ટીમોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તે જ રીતે, આગામી સિઝન માટે મીની હરાજીનું આયોજન કરવામાં આવશે. આ મીની હરાજી 23 ડિસેમ્બર 2022ના રોજ કોચીમાં યોજાશે. હવે આ મિની ઓક્શન પહેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે. એસ શ્રીસંત વાપસી કરી શકે છે. મોટા સમાચાર સામે આવ્યા છે કે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંત પુનરાગમન કરી શકે છે અને તે IPL 2023 માં જોવા મળી શકે છે, પરંતુ તે એક ખેલાડી તરીકે જોવા મળશે નહીં.
હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસ શ્રીસંત બોલિંગ કોચ તરીકે કોઈપણ IPL ટીમ સાથે જોડાઈ શકે છે. એસ શ્રીસંત પર મેચ ફિક્સિંગ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.હવે તેના પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે અને તેની પાસે ઘણો અનુભવ પણ છે, તે જોઈને કેટલીક ફ્રેન્ચાઈઝી તેને બોલિંગ કોચ તરીકે પોતાની સાથે જોડવા માંગે છે. જો કે, શ્રીસંત તેની કારકિર્દીમાં ઘણા વિવાદોમાં ફસાઈ ગયો હતો.
તેના થપ્પડના વિવાદે ઘણી હેડલાઇન્સ બનાવી હતી, ત્યારપછી તેની કરિયરમાં પણ ઘટાડો થવા લાગ્યો હતો. આ બધું જોઈને ટીમો ચોક્કસપણે વિચારશે કે શ્રીસંતને તેમની સાથે જોડવો જોઈએ કે નહીં. એસ શ્રીસંતના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે 44 મેચમાં 40 વિકેટ ઝડપી છે.
2018માં શ્રીસંત પરનો આજીવન પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. 2019 માં, સુપ્રીમ કોર્ટે પુરાવાના અભાવને કારણે તેના સાત વર્ષના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો, જેનાથી તે 2020-21 સીઝનમાં સ્થાનિક ક્રિકેટ રમવા માટે લાયક બન્યો હતો.