Sports

ધોની કોહલી નહિ પણ આ વિદેશી ખિલાડીને રોહિત શર્મા માને છે બેસ્ટ કેપ્ટ્ન! નામ જાણી ને આંચકો લાગશે…

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળે છે અને તેને આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન પણ માનવામાં આવે છે. રોહિત શર્માએ તેની કેપ્ટનશિપ દરમિયાન કુલ 5 વખત મુંબઈને IPL ટ્રોફી જીતાડ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે રોહિત શર્મા કોને દુનિયાનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન માને છે, જો નહીં, તો આજના આર્ટિકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

રોહિત શર્માએ IPLમાં પોતાની કેપ્ટનશીપથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે અને આ કારણથી ઘણા દિગ્ગજોએ પણ તેની કેપ્ટનશીપના વખાણ કર્યા છે. અને તાજેતરમાં જ રોહિત શર્માએ Jio સિનેમા પર એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને આ ઈન્ટરવ્યુ દરમિયાન હિટમેને તેના ફેવરિટ કેપ્ટન વિશે વાત કરી હતી. જિયો સિનેમા પર આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન રોહિતે કહ્યું,

“હું મારા જીવનમાં ઘણા કેપ્ટનના નેતૃત્વમાં રમ્યો છું પરંતુ રિકી પોન્ટિંગ એક જબરદસ્ત વ્યક્તિ છે. તે યુવા ખેલાડીઓ સાથે જે રીતે વાત કરે છે તે અસાધારણ છે. તેની પાસેથી ઘણું શીખવા મળ્યું.

નોંધપાત્ર વાત એ છે કે, તેણે પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન એમએસ ધોની અને વિરાટ કોહલી વિશે કંઈ કહ્યું ન હતું, પરંતુ ધોનીના નેતૃત્વમાં રોહિત શર્માએ તેના રમતના પ્રદર્શનને એક અલગ દિશા આપી હતી.

રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 24 મે, બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે આઈપીએલ 2023ની એલિમિનેટર મેચ રમવા જઈ રહી છે. આ મેચમાં વિજેતા ટીમ 26 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સાથે IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચ રમશે. અને બીજી ક્વોલિફાયર મેચમાં વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે જ્યાં તેનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સાથે થશે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!