આખરે ટીમ ઈન્ડિયા ને મળ્યો નવો કેપ્ટન ! જુઓ શ્રી લંકા સામેની સીરીઝ મા આવી હશે ટીમ…દિગ્ગજ ખેલાડી ની છુટ્ટી
શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા ODI ટીમનો કેપ્ટન છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓને T20માંથી આરામ આપવામાં આવ્યો છે. જોકે, આ બંને વનડે ટીમનો ભાગ છે.
શ્રીલંકાની ટીમ જાન્યુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવી રહી છે. તેણે અહીં ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 3 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં રમાશે. ત્યાર બાદ 5મી જાન્યુઆરીએ પુણે અને 7મી જાન્યુઆરીએ રાજકોટમાં મેચો રમાશે. પ્રથમ વનડે 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ત્યાર બાદ 12 જાન્યુઆરીએ કોલકાતા અને 15 જાન્યુઆરીએ ત્રિવેન્દ્રમમાં મેચ રમાશે.
પંડ્યાની કેપ્ટન્સીમાં ન્યુઝીલેન્ડનો 1-0થી પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 મેચ મેકલીન પાર્ક સ્ટેડિયમમાં રમી હતી. જો કે તે વરસાદમાં ધોવાઈ ગયું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 1-0થી જીતી લીધી હતી.
શ્રીલંકા પ્રવાસ માટે ટી20 ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ. ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.
શ્રીલંકા સામેની ODI ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.