Sports

બાંગ્લાદેશ સામેની બીજી મેચમાં ટિમ ઇન્ડિયા રમાડશે આ ધાકડ ક્રિકેટર! જાણો કોણ?

ન્યુઝીલેન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. જ્યાં ત્રણ વનડે અને બે ટેસ્ટ સિરીઝ રમવાની છે. ગઈ કાલે શ્રેણીની પ્રથમ વનડે રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે બાંગ્લાદેશ સામે 187 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. અને બાંગ્લાદેશે 9 વિકેટ ગુમાવીને તે હાંસલ કરી લીધું હતું. આ વનડે સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા મોટા ખેલાડીઓની વાપસી થઈ છે. જેને T20 વર્લ્ડ કપ 2022 બાદ આરામ આપવામાં આવ્યો હતો. બીજી મેચ 7મીએ છે. અને આશા છે કે આ હાર બાદ પ્લેઈંગ 11માં મોટો ફેરફાર થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે આવતીકાલે યોજાનારી બીજી મેચમાં ભારતની પ્લેઈંગ 11 કેવી હોઈ શકે છે.

ઈશાન કિશનનો સમાવેશ થઈ શકે છે. બેટિંગની વાત કરીએ તો ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે. ટીમ ધવનને આરામ આપી શકે છે. આ સિવાય ટીમની બેટિંગમાં કોઈ મોટો ફેરફાર જોવા મળી રહ્યો નથી. બોલિંગમાં પણ સુકાની રોહિત કોઈ ફેરફાર કરતા જોવા મળે તેવી શક્યતા ઓછી છે.  બીજી IPL ટ્રોફી પર હાર્દિકની નજર, મુંબઈ-ચેન્નઈને હરાવી શકશે!

ભારતનો સંભવિત પ્લેઇંગ 11 : રોહિત શર્મા (C), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (WK), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન.  ટીમ ઈન્ડિયાની એક ભૂલ પડી શકે છે ભારે, વર્લ્ડ કપ પહેલા સુધારવી પડશે.

ટીમ ઈન્ડિયા : રોહિત શર્મા (સી), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (ડબલ્યુ), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, કુલદીપ સેન, શાહબાઝ અહેમદ

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!