Sports

Mi સામેની હાર બાદ ગૌતમ ગંભીરે આપ્યું પહેલું રીએક્શન! કહી દીધી આ મોટી વાત… જાણો

IPL 2023 ના એલિમિનેટરમાં, મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવીને મોટી જીત નોંધાવી હતી. આ જીત સાથે હવે રોહિત શર્માની ટીમ બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે. હવે 26 મેના રોજ બીજી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાટાટન્સ અને મુંબઈ વચ્ચે રમાશે. હાર બાદ લખનૌ ટીમના મેન્ટર ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા આવી છે.

મેચ દરમિયાન ગૌતમ ગંભીર ડગઆઉટમાં પરેશાન જોવા મળ્યો હતો. ગૌતમ ટીમની હારથી ચિંતિત હતો. જો કે મેચ બાદ તે સચિન તેંડુલકર સાથે વાત કરતો જોવા મળ્યો હતો. હવે ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાનું દર્દ શેર કર્યું છે. છે. ગંભીરે ટ્વીટ કર્યું, ‘પડ્યો, પણ હાર્યો નહીં. આટલો પ્રેમ દર્શાવવા બદલ ચાહકોનો હૃદયપૂર્વક આભાર. અમે પાછા આવીશું.’

કેપ્ટન કેએલ રાહુલ એલએસજીના લીગ રાઉન્ડ દરમિયાન જ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી રાહુલ બાકીની સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. રાહુલના બહાર થયા બાદ કૃણાલ પંડ્યાએ એલએસજીની કમાન સંભાળી હતી.

પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. મુંબઈ માટે કેમેરોન ગ્રીને 23 બોલમાં 41 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 33 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતે નેહલ વાઢેરાએ 12 બોલમાં 23 રન ફટકારીને ટીમને 188 રન સુધી પહોંચાડી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!