Sports

આ કારણને લીધે એમ.એસ.ધોની બેટિંગ ઓર્ડરમાં ઉપર નથી આવી રહ્યો ?? CSK બોલિંગ કોચે એવા બ્રાવોએ જણાવ્યું કારણ…જાણો

ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ગઈકાલે ચેન્નાઈએ આઈપીએલ 2023 ની તેમની 8મી મેચ રાજસ્થાન સામે જયપુરમાં રમી હતી જેમાં ચેન્નાઈને હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈની હાર બાદ તેના ચાહકો ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા હતા.વાસ્તવમાં, સીએસકેના ચાહકો પણ દુખી હતા કારણ કે એમએસ ધોનીને બેટિંગની તક ન મળી. જો કે આ મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ખેલાડી અને હાલમાં બોલિંગ કોચ ડ્વેન બ્રાવોએ રસપ્રદ જવાબ આપ્યો છે.

CSK બોલિંગ કોચ ડ્વેન બ્રાવોએ ગઈકાલની મેચ બાદ કોન્ફરન્સ કોલ દરમિયાન જણાવ્યું હતું કે,“ચેન્નઈનો કેપ્ટન એમએસ ધોની તેના સ્થાને યુવા બેટ્સમેનોને ઉચ્ચ દબાણવાળી મેચોમાં રમવાની તક આપીને ખુશ છે. ચેન્નાઈમાં ઘણા ખેલાડીઓ ધોનીની ઉપર બેટિંગ કરી રહ્યા છે કારણ કે ધોની તેમને વધુમાં વધુ તક આપવા માંગે છે. તે જાણી જોઈને રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ અને શિવમ દુબેને ઉપર મોકલીને નીચેના ક્રમમાં બેટિંગ કરવાનું પસંદ કરે છે. એમએસ ધોની ફિનિશરની ભૂમિકા ભજવીને વધુ ખુશ છે.

તે કહે છે કે બ્રાવોએ મેચ પહેલા કહ્યું હતું કે,“ CSKનું મનોબળ ઘણું ઊંચું છે. અમને પરિણામની પરવા નથી કારણ કે અમને પરિણામ સાથે કોઈ લેવાદેવા નથી. અમે IPL 2023 ની શરૂઆત સકારાત્મક નોંધ પર કરી હતી અને અમે તેને તે જ રીતે ચાલુ રાખવા જઈ રહ્યા છીએ, અમારે બસ જીતતા રહેવાનું છે અને આવનારી મેચોમાં સારું પ્રદર્શન કરવાનું છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચેન્નાઈએ તેની 8 મેચ રમી છે જેમાં તેણે 5 મેચ જીતી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે બાકીની 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

 

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!