દિનેશ કાર્તિકે આપ્યું મોટુ નિવેદન! કહ્યું કે ‘હું સૂર્યકુમારની જગ્યાએ… શું કહ્યું જાણો પુરી વાત
ભારતના દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે સંજુ સેમસનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કાર્તિકને લાગે છે કે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી20માં ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવો જોઈએ.તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસ પર છે અને આજે બંને ટીમો વચ્ચે T20 શ્રેણીની છેલ્લી અને ત્રીજી મેચ 22 નવેમ્બરે નેપિયરમાં રમાશે. જો કે આ મેચ પહેલા દિનેશ કાર્તિકે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જો કે, ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની લીડ જાળવી રાખી છે.
તમને જણાવી દઈએ કે ક્રિકબઝને આપેલા ઈન્ટરવ્યુમાં દિનેશ કાર્તિકે ત્રીજી T20 મેચમાં સંજુ સેમસનને લઈને મોટું નિવેદન આપ્યું છે. કાર્તિકે કહ્યું કે ભારત અત્યારે માત્ર એક જ ખેલાડીને બદલી શકે છે અને તે છે સૂર્યકુમાર યાદવ. તેઓ તેને બ્રેક આપવા માંગે છે અને કદાચ તેને ODI માટે ટીમમાં સામેલ કરવા માંગે છે. ટીમમાં ઘણા બધા ખેલાડીઓ આવી ગયા છે અને તેમને એક મેચ આપવી યોગ્ય નથી.
આ સિવાય કાર્તિકે કહ્યું કે ભારત સેમસનને લાવી શકે છે કારણ કે તે પરિસ્થિતિને અનુરૂપ હશે કારણ કે તેને ઝડપી બોલિંગ રમવી ગમે છે અને તે શોર્ટ પિચ બોલનો સારો ખેલાડી છે. મને સૂર્યકુમાર યાદવની જગ્યાએ સેમસનને જોવાનું ગમશે.તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે બીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કરતા 51 બોલમાં અણનમ 111 રનની ઇનિંગ રમી હતી. અને પોતાની T20 કારકિર્દીની બીજી સદી ફટકારી હતી.
આ શાનદાર ઇનિંગના કારણે ટીમ ઇન્ડિયાએ 65 રનથી મેચ જીતી લીધી હતી.અને આ પ્રદર્શન માટે સૂર્યકુમારને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ખેર, એ જોવાનું રહેશે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ સૂર્યકુમાર યાદવને બાદ કરીને સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશે કે નહીં.