એંશીયા કપ માટે ભારતની આ ટિમ થશે તૈયાર!! Ipl માં ચમકેલા આ પ્લેયરનો પણ થશે સમાવેશ.. જાણો
એશિયા કપ 2023 ઘણા વિવાદોથી ઘેરાયેલો છે. પીસીબીનું કહેવું છે કે ભારતે આ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન આવવું પડશે જ્યારે બીસીસીઆઈ ત્યાં પોતાની ટીમ મોકલવા તૈયાર નથી. નજમ સેઠીએ ઘણી વખત ધમકી આપી છે કે જો ટીમ ભારત નહીં આવે તો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય.
આ તમામ બાબતો વચ્ચે સમાચાર એ છે કે આ ટૂર્નામેન્ટ 2જી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ ટૂર્નામેન્ટમાં શું થઈ શકે છે, ભારતની 15 સભ્યોની ટીમ અને કયા ખેલાડીઓ વાપસી કરી શકે છે?
જો એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીની વાત કરીએ તો અહીં ત્રણ નામ સામે આવે છે. જેમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને ઈશાન કિશનના નામ સામેલ છે. રોહિતની વાત કરીએ તો તેણે આ વર્ષે વનડેમાં 2 સદી અને 1 અડધી સદીની મદદથી 371 રન બનાવ્યા છે.
તે જ સમયે, શુભમન ગિલે પણ 2023માં અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. તેણે 9 વનડેમાં 624 રન બનાવ્યા છે જેમાં 1 સદી અને 3 અડધી સદી સામેલ છે. તેણે ન્યુઝીલેન્ડ સામે પણ બેવડી સદી ફટકારી હતી.
તેમજ ઈશાન કિશનને વૈકલ્પિક ઓપનર તરીકે તક મળી શકે છે. ઉપરાંત, ઈશાન પાસે વિકેટકીપિંગની જવાબદારી હશે, આ સ્થિતિમાં તેને મિડલ ઓર્ડરમાં પણ મોકલી શકાય છે. ઈશાને 14 વનડેમાં 510 રન બનાવ્યા છે જેમાં 1 બેવડી સદીનો સમાવેશ થાય છે.